રાજકોટ
News of Monday, 7th October 2019

કાલે મુખ્યમંત્રી રાજકોટમાં: રૂડાના ત્રણ મહત્વના કરોડોના કામોનું લોકાર્પણઃ ખાતમુર્હુતઃ ૬૦ કરોડના કામો

રાજકોટ તા. ૭ :.. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે, તેમના હસ્તે રૂડાના ત્રણ મહત્વના કામોનું લોકાર્પણ ખાતમુર્હુત યોજાયા છે, કુલ ૬૦ કરોડથી વધુના કામો અંગે તૈયારીઓ ચાલી રહી છે.

કાલે સવારે ૪૪ કરોડના ખર્ચે બનનારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોટામવામાં એમઆઇજી પ્રકારના ૧૯ર આવાસો, અને રૈયામાં ઇ-ડબલ્યુ.એલ. પ્રકારના ૧ર૮ આવાસોના બાંધકામનું ખાતુમુર્હૂત થશે.

આ ઉપરાંત સ્વર્ણીમ જયંતિ અંતર્ગત વાવડી વિસ્તારમાં ર૦ હજાર લોકોને ફાયદાકાર-૧ર કરોડના ખર્ચે બનાવાયેલ ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ તો રીંગ રોડ-૧ ના માધાપર ચોકથી માલીયાસણ ચોક સુધી ૧રાા કિ.મી.માં લગાવાયેલ ૪ કરોડના ખર્ચે બનાવાયેલ સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ થશે.

(3:32 pm IST)