રૈયાધાર કવાર્ટરમાં માતાજીના મંદિરમાં હારતોરા કર્યા પછી સંજયએ ચોથા માળેથી પડતું મુકયું
ચમાર યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ માનસિક તકલીફ કારણભુત
રાજકોટ તા. ૭: રૈયાધાર ચાર માળીયા કવાર્ટરમાં રહેતાં સંજયભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.૩૫) નામના ચમાર યુવાને સાંજે સાતેક વાગ્યે કવાર્ટરના ચોથા માળેથી પડતું મુકી દેતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. સંજયભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજો છે. તેના લગ્ન થયા હતાં પણ હાલ છુટાછેડા થઇ ગયા છે. કેટલાક વર્ષથી તેને માનસિક તકલીફ હોઇ મજૂરી કામે પણ મન પડે તો જાય છે. તેના પિતા કરસનભાઇ મોચી કામ કરી ગુજરાન ચલાવે છે. સંજયભાઇના પરિવારજનના કહેવા મુજબ ગઇકાલે આઠમ હોઇ સંજયભાઇએ ઘરમાં માતાજીના મઢમાં હારતોરા-શણગાર કર્યો હતો અને પછી અચાનક જ રૂમમાંથી બહાર નીકળી પડતું મુકી દીધું હતું. માનસિક તકલીફને કારણે આમ કર્યાનું જણાવાયું હતું.