માંડવી ચોક દેરાસરે પૂજા-આંગીનો લાભ લેતા અંજલીબેન
રાજકોટઃ ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ માંડવીચોક દેરાસરમાં આજથી ભવ્ય પર્યુષણ પર્વની મહા આરાધના કરવામાં આવેલ. જેમાં સુપાર્શ્વનાથદાદા, શંખેશ્વરપાર્શ્વનાથદાદા તથા આદેશ્વરદાદા તેમજ અત્રે બિરાજમાન દરેક ભગવાનની સોના, રૂપા, ડાયમંડની ભવ્ય આંગી માંડવીચોક સંઘ દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી અત્રે બિરાજમાન મુળનાયક શ્રી સુપાર્શ્વનાથદાદા ની પૂજા, શ્રી ભગવાનને આંગી તેમના હસ્તે ચડાવવામાં આવી હતી, આ પ્રસંગે નિતિનભાઇ ભારદ્વાજ, મયૂરભાઇ શાહ, દિેનેશભાઇ કારીયા, જયંતભાઇ મહેતા, કેતનભાઇ વોરા, ભાવેશભાઇ વોરા, કેવિનભાઇ દોશી તથા તમામ શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહેલ. પરમપૂજય સાધ્વીજી ભગવંતોએ આર્શીવાદ વચન ફરમાવેલ. આ ભવ્ય આંગીના દર્શન માંડવીચોક દેરાસરમાં તમામ લોકો માટે ખુલ્લા મુકવામાં આવેલ છે. જેનો દર્શનનો લાભ લેવા સંઘે આમંત્રણ પાઠવ્યું છે.