રાજકોટ
News of Friday, 7th August 2020

આ વર્ષે હૈયે રોશની...

'અકિલા' ચોક અને એસ્ટ્રોન ચોકમાં 'અકિલા' ગ્રુપ દ્વારા પ્રતિવર્ષે રોશની - સુશોભન થાય છે, આ વર્ષે મહામારીના કારણે આયોજન સ્થગિત

'અકિલા' સાંધ્ય દૈનિક દ્વારા જન્માષ્ટમી પર્વને વધાવવા પ્રતિવર્ષ અકિલા ચોક અને એસ્ટ્રોન ચોકમાં રોશની - સુશોભન કરવાની પરંપરા છે, જે આ વર્ષે સ્થગિત રાખવામાં આવી છે.

કોરોના મહામારીને કેન્દ્રમાં રાખીને અકિલા ગ્રુપે આ નિર્ણય કર્યો છે. તહેવારો પર લોકો ઘરમાં રહીને કૃષ્ણ જન્મોત્સવ વધાવે અને મહામારીથી બચે તેવો ઉદ્દેશ આ નિર્ણય પાછળનો છે. આ વર્ષ જન્માષ્ટમીએ હૈયે - દિલમાં ભકિતભાવની રોશની ઝગમગાવીશું અને મહામારીને મ્હાત કરીશું... જય શ્રી કૃષ્ણ...

(3:17 pm IST)