રાજકોટ
News of Friday, 7th August 2020

જોહર કાર્ડસ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો - સાધુ સંતોને નિઃશુલ્ક રાખડી વિતરણ

રાજકોટ : જોહર કાર્ડસ દ્વારા તેમની ૫૩ વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ રક્ષાબંધન પૂર્વે કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીશ્રીઓ તેમજ સાધુ સંતોને તેમના યજમાનોને બાંધવા માટેની રાખડીનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ. જોહર ગેલેરી, પ્રેમ મંદિર રોડ ગાર્ડન સામે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમને અનુસરીને હાથ ધરાયેલ આ કાર્યક્રમમાં રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ તેમજ વિહીપના અગ્રણી ચમનભાઇ સીંધવ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ, એકરંગ ચિલ્ડ્રન કલબ, યુવા સેના ટ્રસ્ટ, હિન્દુ સંઘના સભ્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહેલ. આ તમામ મહેમાનોનુ જોહર કાર્ડસ પરિવારના યુસુફભાઇ, જોહરભાઇ, હસનેનભાઇએ ભાવભેર સ્વાગત કર્યુ હતુ.

(3:15 pm IST)