રાજકોટ
News of Saturday, 7th July 2018

કણકોટ પાસે બે બાઇક અથડાતા મુળજીભાઇ પરમારનું મોત

રાજકોટ તા.૭: કાલાવડ રોડ કણકોટ પાસે  બાઇક સવાર વણકર વૃધ્ધને બીજા બાઇક ચાકલે ઠોકર મારતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ જયભીમનગર શેરીનં. ૮માં રહેતા મુળજીભાઇ ભયાભાઇ પરમાર (ઉ.વ.૮૨) ગઇકાલે પોતાનું જી.જે. ૩ કેકે ૬૦૦૨ નંબરનું બાઇક લઇને ધુળીયા દોમડા ગામેથી રાજકોટ આવતા હતા ત્યારે કાલાવડ રોડ કણકોટ રોડ હરેરામ હરેકૃષ્ણ આશ્રમની સામે જી.જે ૩ કેબી ૭૪૯૮ નંબરના બાઇક ચાલકે મુળજીભાઇને ઠોકર મારતા તે ફંગોળાઇ ગયા હતા. અકસ્માત થતા આસપાના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મુળજીભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તપાસનીષ તબીબે તેનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ટી. રબારીએ મૃતક મુળજીભાઇના પુત્ર લક્ષ્મણભાઇ પરમારની ફરીયાદ પરથી બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(3:37 pm IST)