રાજકોટ
News of Saturday, 7th July 2018

હેડકોન્સ.નયનજીત વાઘેલા અને પંકજ દિક્ષીતને એએસઆઇ તરીકે પ્રમોશન

રાજકોટ તા. ૭: શહેર પોલીસના બે અનામ હેડકોન્સ્ટેબલને એએસઆઇનું પ્રમોશન મળ્યું છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. નયનજીત અમરસિંહ વાઘેલા તથા આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજકુમાર હિરાલાલ દિક્ષીતને એએસઆઇ તરીકે બઢતીનો હુકમ કર્યો છે. આ બંનેને હાલ જે પોલીસ મથકમાં ફરજ બજાવે છે ત્યાં જ એએસઆઇ તરીકે નિમણુંક યથાવત રાખવામાં આવી છે.

(4:20 pm IST)