અમદાવાદ રાજકોટ સીકસ લેન હાઇવેને જેતપુર સુધી લંબાવો : મોહનભાઇ કુંડારીયાની કેન્દ્રમાં રજુઆત
રાજકોટ તા. ૭ : ભાજપ સરકારે રાજકોટમાં ગોંડલ ચોકડી પર એલીવેટેડ બ્રીજને મંજુરી આપી આ પોરબંદર તરફના ટ્રાફીકને ઘણી રાહત થઇ જશે તેમ ખુશીની લાગણી વ્યકત કરતા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ છે.
રાજયમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નેશનલ હાઇવે ગોંડલ ચોકડી પર ૬ માર્ગીય ફલાય ઓવરબ્રીજ બની રહ્યો છે. ત્યારે આ છ માર્ગીય રસ્તો છેક જેતપુર સુધી લંબાવવામાં આવે તો જુનાગઢ પંથકના વાહન ચાલકોને કવરાવતી ટ્રાફીક સમસ્યા શુન્ય બની જાય. આ બાબતે વહેલતી તકે કઇક કરવા મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્રની નેશનલ હાઇવે ઓથોરીટી સમક્ષ રજુઆત કરી છે.
સીકસ લેન હાઇવે જેતપુર સુધી લંબાવવાથી અમદાવાદ મુંબઇ તરફથી આવતા વાહનોને જુનાગઢ સોમનાથ તરફ જવામાં ઘણી સુગમતા થઇ જશે તેમ અંતમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવેલ છે.