રાજકોટમાં ૨૦૦૦ ઘરોમાં ગૂંજી ઉઠયો ગાયત્રી મંત્ર નાદઃ દુનિયાભરમાં ૫ લાખ ઘરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન
રાજકોટઃ અમોધ શકિત એટલે ગાયત્રી મહામંત્ર, ઉર્જા અને આધ્યામિકતાથી ભરપુર આ મહામંત્રના જપ વાતાવરણને પવિત્ર અને હરકોઈ ભાવિકને શાંતિ પ્રદાન કરે છે. યુગ ઋષિ ગુરૂદેવ પંડિત રામ શર્મા આચાર્યના નિર્માણ દિન સંદર્ભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૫ હજાર તેમજ વિશ્વમાં પાંચેક લાખ ઘરોમાં એકી સાથે એક જ સમયે ૫ લાખ ઘરોમાં પવિત્ર માહોલ વચ્ચે ગાયત્રી મંત્ર જ્ઞાન ગૂંજી ઉઠ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દુનિયાભરમાં ૨.૪૦ લાખ ઘરોમાં એક સાથે ગાયત્રી યજ્ઞ યોજવા આહવાહન કરાયું હતું. જેમાં રાજકોટ જીલ્લામાં ૧૦૦૦ ઘરોમાં યજ્ઞ આયોજન અંતર્ગત રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેર- ૧૩૩૦, ગોંડલ- ૨૩૦, જેતપુર- ૮૦, ઉપલેટા- ૫૦, જસદણ- ૫૦, વાંકાનેર- ૧૦૦, મોરબી- ૨૬૦, કુલ ૨૦૦૦ ગૃહોમાં ગાયત્રી યજ્ઞ યોજાયા હતા. તો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ૧૫૦૦૦ ઘરોમાં ગાયત્રી યજ્ઞ યોજાયા હતા.