ભાડેશીયા પરિવાર દ્વાર ૫૧ હજારનું અનુદાન
રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટ, સંચાલિત, શ્રી વિશ્વકર્મા પ્રભુજીના રાજકોટ મંદિરે સ્વ.કુંવરજીભાઈ રામજીભાઈ ભાડેશિયા પરિવાર તરફથી જ્ઞાતિને આગામી સમૂહ લગ્ન નિમિતે રૂ.૫૧૧૧૧ના અનુદાનનો ચેક મુકેશભાઈ, મહેશભાઈ તથા રતિલાલભાઈએ અર્પણ કર્યો. તસીવરમાં જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને ઉપ પ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણીયા તેમનું અભિવાદન કરતા નજરે પડે છે. શ્રી મુકેશભાઈની દીકરીના તાજેતરમાં લગ્ન થયેલ, ત્યારે તેમને જાહેરાત કરેલ કે, ચાંદલા પેટે જે કોઈ રકમ આવે તે, અને તેમાં જરૂરી ઉમેરો કરીને તે રકમ જ્ઞાતિ ઉત્કર્ષ માટે મંદિરને ભેટ આપશે, આજે તે વચનને ચારિતાર્થ કરીને વચનબદ્ધ અને માનવતાનો ઉમદા બોધપાઠ સમાજને આપેલ છે. અત્રે યાદ કરી લઈએ કે ગત વર્ષે પણ આ જ રીતે, આટલી રકમનું અનુદાન તેમણે કરેલ છે.