રવિવારે સમસ્ત સોનીસમાજના છાત્રોને સોનીબજાર મિત્રમંડળ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણ
સમાજસારાંશ ટ્રસ્ટ પરિવારના કાર્ડધારકોને વિનામૂલ્યે વિતરણ કરાશે
રાજકોટ તા;7 રવિવારે સમસ્ત સોનીસમાજના વિદ્યાર્થીઓને સોની બજાર મિત્ર મંડળ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે જયારે સમાજ સારાંશ ચેરી,ટ્રસ્ટ પરિવારના કાર્ડધારકોને ફુલસ્કેપ ચોપડા અપાશે
અકિલા કાર્યાલય ખાતે સોનીબજાર મિત્ર મંડળના નયનભાઈ રાણપરા,વિનુભાઈ ફીચડીયા, રાજુભાઈ રાણપરા અને નિલેશભાઈ લોલારિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણક્ષેત્રે વધતી મોંઘવારીમાં રાહત આપવા સોનીબજાર મિત્ર મંડળ દ્વારા સમસ્ત સોનીસમાજના વિદ્યાર્થીઓને ઓરીજનલ માર્કશીટ પર માત્ર 100 રૂપિયામાં 10 નંગ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે જયારે સમાજ સારાંશ પરિવારના કાર્ડધારકોને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડા અપાશે
આગામી તા,9ને રવિવારે સવારે 10 થી 1 દરમિયાન વાઘેશ્વરી એજ્યુકેશન સેન્ટર,પેલેસ રોડ,રામ ઔર શ્યામ ગોળાવાળી શેરીમાં ફુલસ્કેપનાં ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે થનાર છે લાભ લેવા ઈચ્છુકોએ પોતાની ઓરીજનલ માર્કશીટ્સ સાથે ઉક્ત સ્થળે આવવા અનુરોધ કરાયો છે
કાર્યક્રમને સફળ બનાવવા નયનભાઈ રાણપરા,વિનુભાઈ ફીચડીયા,નિલેશભાઈ લોલારિયા, જગદીશભાઈ આડેસરા,રાજુભાઈ રાણપરા,હરેશભાઈ ભુવા,રવિકાન્ત વાગડીયા,મહેન્દ્રભાઈ પાટડીયા ,રમેશભાઈ માંડલિયા ,નિલેશભાઈ આડેસરા,દીપકભાઈ પારેખ સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે
|