રાજકોટ
News of Thursday, 7th June 2018

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના પિતરાઈ ભાઈ ડો,જયેશ મોઢવાડિયાને ગન બતાવી હત્યાની ધમકી

વિદ્યાનગરમાં ક્લિનિકમાં હતા ત્યારે ફ્લેટ ખાલી કરવા માટે ધમકી : માંડણ ગોરણીયા વિરુધ્ધ ફરિયાદ

 

રાજકોટ:વિદ્યાનગર મેઈન રોડ પર હોસ્પિટલ ધરાવતા ડોક્ટરને મારી નાંખવાની ધમકી મળી છે. આંખના સજૅન ડો.જયેશ મોઢવાડીયા પોતાના ક્લિનિક પર હતા ત્યારે માંડણ ગોરણીયા નામના વ્યક્તિએ ફલેટ ખાલી કરાવવા માટે ગન બતાવીને મારી નાખવાની ધમકી આપી હોવાની ડોક્ટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  ડોક્ટર જયેશ મોઢવાડીયા પ્રદેશ કોગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાના પિતરાઇ ભાઇ છે. મારી નાખવાની ધમકી મળતા ડો.મોઢવાડીયા -ડીવીઝન પોલીસ સ્ટેશન પંહોચ્યા હતા. ધમકી આપનાર માંડણ ગોરણીયા વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી હતી. તબીબની ફરિયાદ પરથી -ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

 ડો.જયેશ મોઢવાડિયા જણાવ્યું હતું કે, મને માંડણ ગોરાણીય મારી નાખવાની ધમકી આપી છે અને મારા કલીનીક પર આવી મને ફ્લેટ ખાલી કરી દે નહીતો રીવોલ્વર બતાવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને મેં હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  અંગે મળતી વિગત મુજબ શહેરના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા નીતાબેન રતિલાલ મિસ્ત્રીના લગ્ન સુરત વ્રજભૂમી એપાર્ટમેન્ટ, ગીતાનગર ખાતે રહેતા કમલેશ ગોપાલભાઈ ગોંડલીયા સાથે થયા હતા. લગ્નના થોડાક વરસો બંન્નેનો ઘરસંસાર યોગ્ય રીતે ચાલ્યો હતો જો કે તે બાદ સાસરિયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કરી દેતા નીતાબેન ભરૃચ પોતાના પિયરમાં ત્રાસથી કંટાળી આવી ગયા હતા. છેલ્લા બે વર્ષથી હીરાઘસુ પતિ કમલેશ નીતાબેનને પિયરથી સાસરે તેડી જતા આખરે પત્નિએ ન્યાય માટે ભરૃચની કોર્ટમાં ૪૯૮ મુજબનો ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો.

  ભરણપોષણનો કેસ ભરૃચ ન્યાયાલયમાં ૫૨ નંબરની કોર્ટમાં ન્યાયાધીશ એમ.એમ.અગ્રવાલની કોર્ટમાં ચાલી રહ્યો હતો દરમિયાન  જજે સમાધાનની પ્રોસેસમાં પત્નિને પરત લઈ જવા માટે પતિને કહેતા કમલેશે પોતાની પત્નીને પરત લઈ જવી હોય તેમજ ભરણપોષણ પણ ચુકવવુ પડે તે માટે ચાલુ કોર્ટમાં જજની નજર સમક્ષ પોતાના ખિસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

   પતિએ ભરેલા પગલાથી ચાલુ કોર્ટમાં તેમજ ન્યાયાલયમાં સન્નાટો છવાઈ જવા સાથે ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલીક ૧૦૮ બોલાવી કમલેશને ભરૃચ સીવીલ હોસ્પીટલ ખસેડાયો હતો જયાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાની માહિતી સીવીલ વર્તુળમાંથી સાંપડી રહી છે. કમલેશે માંકડ મારવાની દવા પીધી હોવાનુ બહાર આવ્યુ છે. ફરીયાદીના વકીલના જણાવ્યા મુજબ કોર્ટમાં પતિ-પત્નિ વચ્ચે સમાધાનની પ્રકિયા ચાલી રહી હતી જે દરમિયાન પતિ કમલેશે ઝેરી દવા ગટગટાવી હતી.

(12:26 am IST)