રાજકોટ જિલ્લા પંચાયતમાં સરદાર પટેલ અને આંબેડકરજીની પ્રતિમાનું ૧૮મીએ અનાવરણ
પંચાયતમાં વર્તમાન પદાધિકારીઓના કાર્યકાળનો છેલ્લો સમારંભ
રાજકોટ તા.૭ :.. જિલ્લા પંચાયત દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જૂની પ્રતિમાના સ્થાને નવી પ્રતિમા મુકવાનું નકકી થયું છે. બન્ને મહાનુભાવોની પૂરા કદની પ્રતિમા તૈયાર થઇ રહી છે. પંચાયતના પટાંગણમાં તેના માટે ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યું છે. ફુલહાર માટે બન્ને તરફ સીડી બનાવવામાં આવશે. પ્રતિમા નિર્માણ માટે રૂ. ૮ાા લાખ જેટલો ખર્ચ થશે. પ્રતિમા ઉંચાઇ પર રાખવાની હોવાથી દૂરથી ચોકમાંથી જોઇ શકાશે. સરદાર પટેલઅને આંબેડકરજીની પ્રતિમા એક સાથે હોય તેવુ રાજકોટનું પ્રથમ સ્થળ બનશે. વર્તમાન પ્રમુખ નિલેષ વિરાણી અને ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયાની મુદત પુરી થઇ રહી છે. ર૦મીએ નવા સુકાનીઓની ચુંટણી છે તેથી વર્તમાન સુકાનીઓ માટે અનાવરણ કાર્યક્રમ તેમના કાર્યકાળનો છેલ્લો કાર્યક્રમ બની રહેશે. (પ-૧પ)