રાજકોટ
News of Friday, 7th May 2021

સંત કબીર રોડ પર વૃક્ષમાં એસિડ નાંખી બાળવાનો પ્રયાસઃ રણજીત મુંધવાની ફરિયાદ

રાજકોટ : શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં દુકાન પાસે ઉછરેલા ઘટાટોપ વૃક્ષમાં એસીડ નાંખીને તેને બાળવાનો પ્રયાસ થઇ રહ્યાની તસ્વીર સાથે કોંગી આગેવાન રણજીત મુંધવાએ મ.ન.પા.નાં ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ ડો. હાપલિયાને કરી છે. જેનાં આધારે હવે ફોજદારી ફરીયાદની તજવીજ હાથ ધરાઇ છે. તેમ રણજીત મુંધવાએ જણાવ્યું હતું.

(4:09 pm IST)