સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં બેના મોત
રાજકોટ, તા.૭: ભગવતીપરા સુખસાગર સોસાયટીના કિશોરનું અને અમરજીત નગરના આઘેડનું બેભાન હાલતમા મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ સુખસાગર-૪માં રહેતો ખુશાલ નાનજીભાઇ મુછડીયા (ઉ.વ.૧૩) રાત્રે પોતાના ઘરે હતો ત્યારે એકાએક બેભાન થઇ જતા તેનું સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં એરપોર્ટ રોડ અમરજીતનગર-૨માં રહેતા નારણભાઇ ભવાનભાઇ સોલંકી, (ઉ.વ.૫૦) વ્હેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક નારણભાઇ બે બહેન અને એક ભાઇમાં નાના હતા તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. આ અંગે પ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી.