News of Tuesday, 7th February 2023
સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ની મયુરભાઇ શાહના નિવાસે પાવન પધરામણી
રાજકોટ : આજરોજ સદગુરૂ દેવ પૂજ્ય પારસમુનિ મ.સા.ના પાવન પગલા જૈન ભાજપ અગ્રણી મયુરભાઇ શાહના નિવાસ સ્થાને થયા હતા. પરિવારના રાજવીબેન, ઉષાબેન અનિક શેઠ, કિંજલ શેઠ, રૂપાબેન શેઠએ ભાવભર્યું સ્વાગત કરેલ તેમજ નિખીલ મહેતા, પારૂલ મહેતા, હિલોની વોરા, બીનાબેન વોરા સહીતના શ્રાવકશ્રાવિકાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂ.ગુરુદેવે માંગલિક ફરમાવી સર્વેને આર્શીવાદ પાઠવેલ હતા.
(3:09 pm IST)