બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ દ્વારા સમુહલગ્ન
તાજેતરમાં બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં ૯ યુગલો જોડાયા હતા. સમારોહ પ્રમુખ ધનરાજ ખત્રી ગાંધીનગરના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ. અનિલભાઇ જેતપુરથી, નરેન્દ્રભાઇ માધુ થરાદથી, ડો. રમેશભાઇ વાઢેર અમદાવાદથી, શ્રીમતી સવિતાબેન સોનેજી રાજકોટથી, ભરતભાઇ ખખ્ખર ભાવનગરથી, જીતુભાઇ સોનેજી રાજકોટથી, શાંતિભાઇ છાટબાર સાવરકુંડલાથી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ નિકુંજભાઇ જાડા, વિનોદભાઇ મેર, મયુરભાઇ જાડા, જીતેન્દ્રભાઇ બોસમીયા, પ્રફુલભાઇ મર્થક, રાજુભાઇ ગરાચ, અતુલભાઇ જાજલ, વિનુભાઇ બોસમીયા, જયપ્રકાશભાઇ મામતોરા, સુરેશભાઇ મામતોરા, ભુપેન્દ્રભાઇ મામતોરા, નિતીનભાઇ જાજલ, મયંકભાઇ જાજલ, યોગેશભાઇ જોગી, ભરતભાઇ છાંટબાર, જીતુભાઇ પડીયા, જયંતિભાઇ જાજલ, હસુભાઇ મણીઆર, ધવલભાઇ મેર, જગદીશભાઇ પડીયા, નરેશભાઇ પડીયા, ભારતીબેન શનિશ્વરા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૨)