News of Tuesday, 7th January 2020
એન.આર.સી. અને સી.એ.એ. ના વિરોધમાં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા કાલે રેલી-આવેદન
રાજકોટઃ તા.૭, ખામીયુકત એન.આર.સી અને સીએએના કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતી મોર્ચા દ્વારા આવતીકાલે રેલી, આવેદનના કાર્યક્રમો યોજાયા છે.
આવતીકાલે તા.૮ના બુધવારે સવારે ૧૦ વાગે ફુલછાબ ચોકથી પ્રસ્થાન થશે. જે જયુબેલી, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, ઠકકરબાપા છાત્રાલય, એકલવ્ય ચોક, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક) બહુમાળી ભવન થઇ કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવશે.
તસ્વીરમાં બહુજન ક્રાંતિ મોર્ચાના નરેશ પરમાર, એચ.ડી. પરમાર, કરશનભાઇ પરમાર, હરેશભાઇ રાઠોડ, ઇસ્માઇલભાઇ ગુંગા અને ભરતભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:13 pm IST)