રાજકોટ
News of Tuesday, 7th January 2020

રાજુભાઈ પોબારૂના માતુશ્રીનું અવસાન થતાં પરિવારજનોમાં ઘેરો શોક : સગા - સંબંધીઓ નિવાસસ્થાને દોડી ગયા : સ્મશાનયાત્રામાં સમાજના આગેવાનો જોડાયા

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ, સટ્ટાબજારના ચેરમેન સહિત અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને જાણીતા લોહાણા અગ્રણી રાજુભાઈ પોબારૂના માતુશ્રી કાંતાબેન પ્રભુદાસભાઈ પોબારૂનું ૯૧ વર્ષની વયે આજરોજ સવારે દુઃખદ અવસાન થયુ છે. આ દુઃખદ સમાચારની જાણ થતાં રાજુભાઈના સગા - સંબંધીઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા અને સદ્દગતના પરિવારને સાંત્વના આપી હતી. સદ્દગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોહાણા સમાજના ભાઈ - બહેનો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા અને પોબારૂ પરિવારને સાંત્વના આપી હતી.

(4:02 pm IST)