ડોકટરને ધમકી આપવાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર
રાજકોટ તા ૭ : ચંદ્રેશનગર મેઇન રોડ પર આસ્થા કલીનીક ધરાવતા ડોકટર પરમાર હરદેવસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં સંભવીત ધરપકડ સામે આરોપી સાસરીયા રમેશભાઇ તલાટીયા, હંસાબા તલાટીયા, અભીરાજ તલાટીયા, ઉમેદસિંહ રાઠોડે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને સેશન્સ કોર્ટે મંજુર કરેલ છે.
બનાવની ટુંકી હકીકત એવી છે કે, રાજકોટના ચંદ્રેશનગર મેઇન રોડ પર આસ્થા કલીનીક ચલાવતા તબીબ પર સાસુ-સસરા સહીતનાએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદ માલવીયાનગર પોલીસમાં દાખલ કરેલ છે.
આ ફરીયાદમાના આરોપી રમેશસિંહ માનસિંગ તલાટીયા વિગેરે રહે. હાથીખાના-૧૬, રામમઢી પાસે ના રહેવાસી એ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. જે અરજીની સુનાવણી દરમ્યાન આરોપીના વકીલશ્રી ની ધારદાર દલીલો અને પ્રસ્તાપીત ચુકાદાઓ ધ્યાને લઇ ડિસ્ટ્રીકટ જજ શ્રી એચ.એેમ. પવાર મેડમે આરોપીના આગોતરા જામીન મંજુર કરેલ હતા.
આ કામ ેઆરોપી વતી એડવોકેટ કરણસિંહ એ. ડાભી, પ્રતિક ડી. રાજયગુરૂ, પાર્થ ડી. પીઠડીયા, વિરેન આઇ. વ્યાસ રોકાયેલ હતા. (૩.૧૪)