રાજકોટ
News of Friday, 6th December 2019

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્ટોલની મુલાકાતે ભુપેન્દ્રસિંહજી

રાજકોટ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત અમદાવાદ ખાતે ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરાયુ છે. જેમાં રચનાત્મક ખાદી સંસ્થા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્ટોલની રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઈ સંસ્થાની ખાદી પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમ સમિતિના સહ નિયામક દિપેશભાઇ બક્ષીએ યાદીમાં જણાવેલ.

(3:59 pm IST)