મનહર પ્લોટમાં એપાર્ટમેન્ટમાં બીમારીથી કંટાળી ધનરાજભાઇ શર્માનો સળગી આપઘાત
રાજકોટ તા. ૬: મનહર પ્લોટમાં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં બીમારીથી કંટાળી વૃધ્ધે સળગીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ મનહર પ્લોટ શેરી નં. ૯/એ માં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩ માં રહેતા ધનરાજભાઇ રામનારાયણભાઇ શર્મા (ઉ.વ. ૭પ) ગત તા. ૩ના રોજ પોતાના ઘરે સળગી જનતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન આજે મોત નિપજયું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રવીભાઇ તથા દેવાંગભાઇએ તપાસ હાથ ધરી છે. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
બેભાન હાલતમાં યુવાનનું મોત
દુધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે બાલકૃષ્ણ સોસાયટી શેરી નં. ૧૦ માં રહેતા અમૃત મહેશભાઇ હડપતી (ઉ.વ. ર૭) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના એએસઆઇ પી. સી. વાઘેલાએ કાર્યવાહી કરી હતી.
માયાણીનગરમાં બેભાન હાલતમાં પ્રૌઢાનું મોત
માયાણીનગરમાં રહેતા લીલાબેન ભુપતસિંહ બેસન (ઉ.વ. પપ) સાંજે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.