રાજકોટ
News of Friday, 6th December 2019

વિરાણી બહેરા મૂંગા શાળામાં વિશ્વ વિકલાંગ દિન

 જાણીતી સંસ્થા વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ વિકલાંગ દિન ઉજવણી અંતર્ગત પૂજય મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ''સ્વચ્છતાનું મહત્વ'' અંગેની જાણકારી તથા મોટીવેશન અંગેનો એક કાર્યક્રમ જીલ્લા સમાજ સુરક્ષા ખાતાની કચેરી રાજકોટના અધિકારી મિલનભાઇ પંડીતના અધ્યક્ષપદે રાખવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના મૂક બધિર બાળકોએ સ્વચ્છતા અભિયાનની થીમ ઉપર સુંદર મજાની કૃતિ પ્રસ્તુત કરી હતી. શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણે બધિર બાળકોને સાંકેતિક ભાષામાં સ્વચ્છતાનું મહત્વ અને પૂ. ગાંધીજીના આદર્શ વિચારો વિશેની જાણકારી આપી હતી.

(3:40 pm IST)