રાજકોટ
News of Thursday, 6th October 2022

સમસ્ત કોળી સમાજ માટે શુક્રવારે રાસોત્સવ

ચામુંડાધામ ટ્રસ્ટ-કોળી સેના રાજકોટ જિલ્લા દ્વારા : સંતો-મહંતો, રાજકીય આગેવાનો હાજરી આપશેઃ ખેલૈયાઓને ઇનામોથી નવાજશે

 

રાજકોટ : શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ રાજકોટ કોળી સેના રાજકોટ જીલ્લા દ્વારા એક દિવસીય દાંડીયા રાસનું આયોજન સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે તા. ૭ ના શુક્રવારે સાંજે ૭ વાગ્યાથી ધોળકીયા સ્કુલ સામે બાલાજી હોલની પાછળ ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે કરાયું છે.

કોળી સેના રાજકોટ જિલ્લા શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૮ વર્ષથી આયોજીત રાસોત્સવમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે સંત શ્રી અમરગીરી બાપુ (ગરાળ) તથા પૂર્વ મંત્રીશ્રી પરષોતમભાઇ ઓ. સોલંકી, કોળી સેના ગુજરાતના યુવા પ્રમુખશ્રી દિવ્યેશભાઇ સોલંકી, કોળી સેના ગુજરાતના સલાહકાર અને ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લા પ્રમુખશ્રી દિપાબેન એમ. બાંભણીયા તથા સમસ્ત કોળી સમાજના રાજકીય, સામાજિક સંગઠનના પ્રમુખ કર્મચારી મંડળ, કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ આયોજનને સફળ બનાવવા કોળી સેના રાજકોટ જીલ્લા પ્રમુખ અજયભાઇ એન. ડાભી, દિપકભાઇ સાકરીયા, ડો. વિશાલભાઇ માયાણી, પ્રવિણભાઇ પાટડીયા, મયુરભાઇ કુકડીયા, ચિરાગભાઇ ડાભી તથા કોળી સેના રાજકોટ જીલ્લા ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:35 pm IST)