News of Thursday, 6th October 2022
આરડીએનપી પ્લસ દ્વારા મીઠાઇ વિતરણ
એચઆઇવી પોઝીટીવ લોકોના લાભાર્થે કાર્યરત સંસ્થા આરડીએનપી પ્લસ દ્વારા નવરાત્રીમાં લાભાર્થી સભ્યો માટે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તેમજ વિજયાદશમીના તહેવાર નિમિતે ૧૦૦ થી વધુ બાળકોને મીઠાઇ-ફરસાણનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશ્નર રાજુભાઇ ભાર્ગવ, ફુલછાબ ટ્રસ્ટના નરેન્દ્રભાઇ ઝીબા, રોટરી કલબના પરેશભાઇ બાબરીયા, રવિ ટેકનો ફોર્જના અમુભાઇ ભારદીયા ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર.ડી.એન.પી. પ્લસના પ્રમુખ જગદીશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચેતનાબેન ગોહેલ અને બોર્ડ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
(3:58 pm IST)