ભાડલા પાસે અકસ્માતમાં ઘવાયેલા દહીંસરાના મુકેશ પરમારનું મોત
બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા દરજી પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૬ : ભાડલા પાસે અકસ્માતમાં ઘવાયેલા દહીંસરા ગામના દરજી યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ય વિગતો મુજબ ભાડલા પાસે કમલાપુરથી દહીંસરા આવતા રસ્તે કાળીધાર પાસે ગત તા.૩૦ના રોજ ભરત જગજીવનભાઇ ઉર્ફે જગાભાઇ સાકરીયા તથા મુકેશ જીવરાજભાઇ પરમાર બાઇક નં. જી.જે. ૦૩ એમક. ૯૬૧, ઉપર જતા હતા ત્યારે બાઇક પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી જતા ચાલાક ભરતભાઇ તથા પાછળ બેઠેલ મુકેશને ગંભીર ઇજા થઇ હતી મુકેશભાઇને માથામાં ગંભીર ઇજા હોય સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ જયા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
મૃતક મુકેશભાઇને બે સંતાનો છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા દરજી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે આ અંગે જસદણ પોલીસે બાઇક ચાલાક ભરતભાઇ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છ.ે