રાજકોટ
News of Sunday, 6th October 2019

દહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ

રાજકોટઃ બે જુદા-જુદા બનાવમાં પરિણીતાઓને ત્રાસ આપવાની ફરિયાદ થઇ છે. ચામુંડા નગર ખીજડાવાળા રોડ પર રહેતી નયનાબેન પ્રકાશ રાઠોડ (ઉ.૨૭)એ પોતાના પતિ પ્રકાશ, સાસુ જેઠીબેન તથા સસરા પ્રેમજીભાઇ માવજીભાઇ રાઠોડ અને નણંદ દયાબેન મયુરભાઇ પરમાર વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. આ બધાએ એકસંપ કરી માવતરેથી તું વધુ દાગીના લાવી નથી તેમ કહી ગાળો દઇ ઘરમાંથી તું બહાર નહિ નીકળે તો ટાંટીયા ભાંગી નાંખશું તેવી ધમકી આપ્યાનો આરોપ મુકાયો છે.

બીજા બનાવમાં મંગળા રોડ શારદાનગર-૧ મનહર એપાર્ટમેન્ટમાં રહેતાં નિધીબેન મિહીર જોષી (ઉ.૨૪)એ પતિ મિહીર તથા સાસુ દક્ષાબેન પ્રકાશભાઇ જોષી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. બંનેએ ઘરકામ જેવી બાબતે મેણાટોણા મારી અને તારી માએ તને કંઇ શીખવ્યું નથી તેમ કહી ત્રાસ ગુજાર્યાના આક્ષેપો સાથે ફરિયાદ થઇ છે. પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં  એએસઆઇ એમ. ટી. પરમાર અને નિતાબેને તપાસ હાથ ધરી છે.

(10:50 am IST)