News of Friday, 6th September 2019
અમારી પાસે પુરતી બહુમતી, અવિશ્વાસ દરખાસ્ત ટકી શકશે નહિઃ ખાટરિયા
રાજકોટઃ જિલ્લા પંચાયતના શાસક જુથના અગ્રણી પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, કોંગ્રેસના બળવાખોરો ભાજપના ટેકાથી પંચાયતમાં રાજકીય ખલેલ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. અમારી પાસે પુરતી બહુમતી છે. અમારા બધા સભ્યો અકબંધ છે. ગઈકાલે મળેલી બેઠકમાં તેમણે જે રણનીતિ ઘડી હોય તે પરંતુ જો પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત આવે તો પણ ટકી શકે તેમ નથી. તે લોકો પાસે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા પુરતા સભ્યો નથી. ઉપરાંત કેટલાક સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ હાઈકોર્ટમાં પડતર છે. અવિશ્વાસ દરખાસ્તમાં તેઓ સમર્થન આપી શકે નહિ તેવુ અમારૂ માનવુ છું. જો અવિશ્વાસ દરખાસ્ત આવે તો અમે રાજકીય અને કાનૂની લડત આપશું.
(11:56 am IST)