રાજકોટ
News of Saturday, 6th August 2022

પોપટભાઇ પટેલના પરિવારને ફોનથી સાંત્વના આપતા મુખ્યમંત્રી

રાજકોટ તા. ૬: સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ ફિલ્ડ માર્શલવાળા શ્રી પોપટભાઇ પટેલનું ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થતા રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી સ્વ.ના પરિવારને ફોન પર વાતચીત કરી સાંત્વના આપેલ. આ વાતચીત વખતે મુખ્યમંત્રી સાથે રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત હતા. વાતચીતમાં તેઓ સંકલન સહયોગી બન્યા હતા.

આજે જામનગરની મુલાકાત વખતે શ્રી ભુપેન્દ્રભાઇ પટેલએ સ્વ. પોપટભાઇના જયેષ્ઠ પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઇ સાથે વાતચીત કરી સ્વ. પોપટભાઇની વ્યસાયિક સફળતા ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે આપેલ યોગદાનને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવેલ. તેમણે જણાવેલ કે પોપટભાઇની ખોટ કદી પૂરી શકાશે નહિં પણ તેમનું જીવન પ્રેરણાદાયી રહ્યું છે.

(4:23 pm IST)