રાજકોટ
News of Thursday, 6th August 2020

કોંગ્રેસની રાજનીતિ કી પાઠશાલામાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષા અને રાજય કક્ષાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ગુજરાત અધ્યક્ષ તરીકે ડો.કીર્તિબેન અગ્રાવત, રાષ્ટ્રીય મંત્રી તરીકે પ્રો.ભાવનાબેન પારેખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે ભાર્ગવ પઢિયારની વરણીઃ ગુજરાત મહામંત્રી તરીકે બરોડાના પુરોહિત ઋત્વિક કુમાર અને રાજકોટ શહેર-જીલ્લા પ્રમુખ તરીકે મૌલેશ મકવાણા, સુરેન્દ્રનગર શહેર-જીલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ સોલંકી અને સૌરાષ્ટ્રના પ્રવકતા તરીકે વિરલ ભટ્ટની નિમણુંક કરતા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપૂત અને સંસ્થા ફાઉન્ડર અજય પાંડે

(4:26 pm IST)