પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે થશે : રેમ્યા મોહન
સ્વાતંત્ર્ય સેનાનીઓ, કોરોના વોરીયર્સનું સન્માન સહિતના મુદ્દે ચર્ચા
રાજકોટ : આગામી તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે થશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી.
બેઠકમાં પરેડ ગ્રાઉન્ડ તૈયાર કરવા, ધ્વજવંદન માટેનો પોલ ઉભો કરવો, સ્ટેજ, મંડપ, પીવાનું પાણી, નિમંત્રણ કાર્ડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, કોવિડ-૧૯ની મહામારી નિવારવામાં ફરજ બજાવનાર ડોકટરો, હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ, કોરોનાને મહાત આપી સાજા થયેલા દર્દીઓ વગેરેનું સન્માન, આ ઉપરાંત, વૃક્ષારોપણ, આંતર શાળા-કોલેજના વિદ્યાર્થીઓની ડિજિટલ માધ્યમથી ચર્ચા, ઓનલાઈન કિવઝ, દેશભકિત વિષય ઉપર નિબંધ, કવિતા લેખન સ્પર્ધા, આત્મનિર્ભર યોજનાઓ જેવી બાબતોની સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કાર્ય કરવા સંબંધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.