રાજકોટ
News of Monday, 6th July 2020

રાજકોટ જેલ દ્વારા નિવૃત જેલર સ્વ. અરૂણકુમાર વ્યાસને શ્રધ્ધાંજલિ પાઠવાઇ

રાજકોટઃ નિવૃત જેલર સ્વ. અરૂણકુમાર રમણિકલાલ વ્યાસ તા. ૨/૭ના રોજ કૈલાસવાસી થતાં સદ્દગતના આત્માની શાંતિ માટે રાજ્યની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ (આઇપીેએસ) તથા રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી બન્નો જોષી અને નાયબ અધિક્ષક શ્રી રાકેશ દેસાઇ તથા રાજકોટ જેલ સ્ટાફ કર્મચારીગણ દ્વારા મોૈન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સદ્દગતના પરિવાર પર આવી પડેલા દુઃખને ઇશ્વર સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. તેમ રાજકોટ મધ્યસ્થ જેલ પરિવારની યાદીમાં જણાવાયું છે.

(1:13 pm IST)