૧૪મીએ જયશ્રી રામદેવપીર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ વિજયભાઇ આવશે
વાલ્મીકી વાડી આવાસ પંચ કમીટી દ્વારા નવમંદિરનું નિર્માણઃ તડામાર તૈયારીઓ
રાજકોટ તા. ૬ : અહિંના જામનગર રોડ ઉપર પોલીસ હેડ કવાર્ટર સામે વાલ્મીકી વાડી આવાસમાં શ્રી રામદેવપીર મંદિરે આગામી તા. ૧૪ના શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાએલ છે જેમાં મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું વાલ્મીકી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
શ્રી રામદેવપીર મંદિર નવનિર્માણ તેમજ શ્રી રામદેવપીર મહારાજન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધિ ૧૪મીના સાંજે ૭ કલાક વિજયભાઇના હસ્તે થશે સવારે ૬ વાગ્યે મૂર્તિના સામૈયા, ૭ વાગ્યે હેમાદ્રી શ્રવણ, ૮-૩૦ કળશયાત્રા, ૯-૩૦ ધાન્યા દિવસ, ૧૦ વાગ્યે જલ યાત્રા, ૧૧ વાગ્યે જલાધી વાસ, ૧-૩૦ નુતન મૂર્તિ અભિષેક સાંજે પ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ બીડુ હોમાશે પ્રાણપ્રતિષ્ઠાની શાસ્ત્રોકત વિધિ આચાર્ય રમેશભાઇ જોષી (જેતપુર) કરાવશે.
આ પ્રસંગે રાત્રીના ૯-૩૦ વાગ્યે સંતવાણીમાં કુ.બેબીબેન મિતલ, વસંતભાઇ ટીમાણીયા, રાહુલભાઇ ટીમાણીયા, (બેન્જો માસ્ટર), તબલાવાદક રાહુલભા વાઘેલા, કેતનભાઇ વાઘેલા, મંજીરામાં કાનજીભાઇ પરમાર અને ઘનશ્યામભાઇ જમાવટ કરશે કાર્યક્રમનું સંચાલન મહંત ગોવિંદભાઇ લઢેરા, કિરીટભાઇ વાઘેલા કરશે.
આયોજનમાં વાલ્મીક સમાજના સર્વેશ્રી કરશનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, લાલજીભાઇ નૈયા, વિઠલભાઇ વાઘેલા, તુલશીભાઇ વાઘેલા, જયશ્રીબેન પરમાર, જગદીશભાઇ સોલંકી, અમુભાઇ ઝાલા, હિરાભાઇ ઘાવરી, જેન્તીભાઇ પરાર, દિનેશભાઇ ગોહેલ, ગોવિંદભાઇ લઢેર, નટુભાઇ પરમાર, કપીલભાઇ વાઘેલા, પીન્ટુભાઇ વાઘેલા, અનિલભાઇ વાળા, જગદીશ ઘાવરી, અજય પરમાર, વિનુભા જેઠવા, ગોવિંદભાઇ ઝાલા અને રામ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૬.૧૮)