રાજકોટ
News of Thursday, 6th June 2019

વિષ્ણુવિહાર સોસાયટીમાં રોજ સવારથી સાંજ સુધી વિનામુલ્યે છાસ વિતરણ

સેવક ગ્રુપ દ્વારા સેવાકાર્યઃ રાહદારીઓના કોઠા ટાઢા કરાવાશે

રાજકોટઃ ધોમધખતા તાપમાં રાહદારીઓના કોઠા ટાઢા કરવાનું સેવાકાર્ય વિષ્ણુવિહાર સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ પાન નજીક શરૂ થયું છે. અહિ સવારના દસથી સાંજના છ સુધી જે કોઇપણ રાહદારી નીકળે તેને ઠંડી છાસ વિનામુલ્યે પીવડાવવામાં આવશે. સેવક ગ્રુપના પ્રતિપાલસિંહ ચુડાસમાના આ સેવાકાર્યના પ્રારંભે નિવૃત ડીવાયએસપી આર. જી. વાઘેલા, નિવૃત પી.આઇ. એ. જે.જાડેજા, નિવૃત બેંક ઓફિસર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાએ ઉપસ્થિત રહી સેવાકાર્યનો શુભારંભ કરાવ્યો હતો.

(3:37 pm IST)