News of Wednesday, 6th June 2018
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સરકાર નિયુકત ચાર સીન્ડીકેટ સભ્યની નિમણુક
ચંદ્રેશ હેરમા, ડોલીબેન અજમેરા, જયભાઇ ત્રિવેદી અને જીવાભાઇ વાળાની પસંદગી
રાજકોટ, તા. ૬ :. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ઉપર નિમણૂકની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪ સિન્ડીકેટ સભ્યોની નિમણૂક કરી છે. જ્યારે આજે ભકત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એકઝીકયુટીવ કાઉન્સીલ મેમ્બર તરીકે ૪ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ભકત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એકઝીકયુટીવ કાઉન્સીલના મેમ્બર તરીકે શ્રી ચંદ્રેશભાઈ હેરમા, શ્રી ડોલીબેન અજમેરા, શ્રી જયભાઈ ત્રિવેદી અને શ્રી જીવાભાઈ વાળાની રાજ્ય સરકારે નિમણૂક કરી છે.(૨-૨૧)
(4:25 pm IST)