રાજકોટ
News of Thursday, 6th May 2021

કોરોના મૃતકોને શ્રધ્ધાંજલી માટે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેનના ધરણા

રાજકોટ : બંગાળમાં ચૂંટણી દરમિયાન કાર્યકરોનાં મોત માટે આજે ધરણા યોજાયા છે. તેની સામે કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કોરોના ને કારણે મૃત્યુને ભેટેલા નિર્દોષ નાગરીકોને શ્રધ્ધાંજલી આપવા વોર્ડમાં ધરણા કર્યા હતા તે વખતની તસ્વીર. આ ધરણામાં પ્રભાતભાઇ ડાંગર, ગોપાલભાઇ અનડકટ, હરેશભાઇ ડોડીયા, હેમલભાઇ, પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મુછડીયા, કરશનભાઇ કાછડીયા, રાહીબેન રાઠોડ, વગેરે કોંગી કાર્યકરો જોડાયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:12 pm IST)