રાજકોટ
News of Thursday, 6th May 2021

મોરબી રોડ રપ વારીયા કવાર્ટરમાં વૃધ્ધ રણછોડભાઇનો ફાંસો ખાઇ આપઘાત

વૃધ્ધે બીમારીથી કંટાળી પગલું ભર્યુ

રાજકોટ, તા., ૬: મોરબી રોડ પર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 

મળતી વિગત મુજબ મોરબી રોડ કિશાન સોસાયટીની બાજુમાં રપ વારીયા કવાર્ટરમાં રહેતા રણછોડભાઇ  કાળાભાઇ (ઉ.વ.૬૦) એ પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરીવારજનો વૃધ્ધને લટકતી હાલતમાં જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રણછોડભાઇએ બીમારીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(3:47 pm IST)