વોર્ડ નં. ૩ના વિવિધ વિસ્તારમાં ગાયત્રીબા વાઘેલા -દિલીપ આસવાણી દ્વારા સેવાયજ્ઞઃ રાશન કિટનું વિતરણ
રાજકોટઃ વોર્ડ નં. ૩ ના વિવિધ વિસ્તારમાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણી તથા ઓમ્ સાઇ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૦ દિવસથી દરરોજ ચાર હજાર માણસોને જુદા જુદા વિસ્તારમાં સંસ્થાના રથ મારફતે તૈયાર ભોજન પિરસી જમવાની સેવા કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત વોર્ડ નં. ૦૩ના કલેકટર કચેરી પાસે આવેલા નરસંગ પરાના ખાડામાં ૧પ૦ પરિવારને કાચો લોટ લીલા શાકભાજી કોબીચ, કાકડી, કારેલા, દુધી સહિતની વસ્તુનું તેમજ એક કિલો ડુંગળી ૧ કિલો બટેટા સહિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય વિસ્તારના જાગૃત કોર્પોરેટરશ્રી દિલીપભાઇ આસવાણી કોર્પો.શ્રી ગાયત્રીબા વાઘેલા કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખશ્રી ગૌરવભાઇ પુજારા નરસંગ પરાના સ્થાનિક ટીનાભાઇ તેમજ સમગ્ર કાર્યકરોની ટીમ સાથે સ્થાનિક કોર્પોરેટરશ્રીની આગેવાનીમાં દરીદ્ર નારાયણની સેવા કરવામાં આવેલ હતી.