રાજકોટ
News of Tuesday, 6th March 2018

કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં દાઝી જતાં દંપતિ ખંડિતઃ પત્નિનું મોત

પત્નિ મનિષાને ઠારવા જતાં પતિ કૈલાસ યાદવ પણ દાઝયો'તો

રાજકોટ તા. ૬: કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં રહેતી મનિષા કૈલાસ યાદવ (ઉ.૨૫) નામની મુળ યુ.પી.ની પરિણીતા અને તેનો પતિ કૈલાસ રાધેશ્યામ યાદવ (ઉ.૨૬) રાત્રે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી સવારે પત્નિ મનિષાનું મોત નિપજતાં દંપતિ ખંડિત થયું છે.

કૈલાસના કહેવા મુજબ પત્નિ ચુલામાં રસોઇ બનાવતી હતી ત્યારે ભડકો થતાં લપેટમાં આવી જતાં પોતે ઠારવા જતાં પોતે પણ દાઝી ગયો હતો. પત્નિના મોતથી તે શોકમાં ગરક થઇ ગયો હતો. મૃત્યુ પામનારના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે મા વિહોણા થઇ ગયા છે. આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. આર. બી. વાઘેલા અને જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(2:23 pm IST)