ઢોલરીયાનગરમાં સગીરાનો આપઘાત
ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવીઃ ડીપ્રેશનમાં રહેતી હતી
રાજકોટ તા. ૬ :.. ગાયત્રીનગર મેઇન રોડ પર ઢોલરીયાનગરમાં સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ઢોલરીયાનગર શેરી નં. ૪ માં રહેતી તન્વી અતુલભાઇ મારૂ (ઉ.વ.૧૭) એ પોતાના ઘરે પહેલા માળે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો સગીરાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા સગીરાનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રશાંતસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક તન્વી અભ્યાસ કરતી હતી. તે છેલ્લા ચારેક મહિનાથી ડીપ્રેશનમાં રહેતી હોઇ, તેથી તેણીએ આ પગલુ ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.