રાજકોટ
News of Monday, 6th February 2023

ન્‍યારી ડેમનો રસ્‍તો ટનાટન કરોઃ સ્‍ટ્રીટ લાઇટ નાખવી જરૂરીઃ મનોજ રાઠોડ

મ્‍યુ. કમિ. ને રજૂઆત કરતા જીલ્લા ભાજપ અનુસુચિત જાતિના અધ્‍યક્ષ

રાજકોટ તા. ૬ :.. શહેરનાં ઐતિહાસિક અને જોવા લાયક સ્‍થળ ન્‍યારી ડેમ ઉપર ઘણા વર્ષોથી રાજકોટ અને રાજકોટની બહારના સહેલાણીઓનો ટ્રાફિક રહેતો હોય જેને કારણે અનેક સમસ્‍યાઓ સર્જાતી હોય આ સમસ્‍યાના નિવારણ માટે જીલ્‍લ ભાજપા અનુસુચિત જાતિ મોરચાના અધ્‍યક્ષ મનોજભાઇ રાઠોડએ પત્ર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર રૂબરૂ રજૂઆત કરી હતી.

શ્રી રાઠોડેએ વધુમાં જણાવ્‍યું છે કે, ન્‍યારી ડેમ રોડ છેલ્લા ચોમાસાના કારણે તેમજ નર્મદાની પાણીની પાઇપલાઇનના ખોદકામના કારણે રસ્‍તાઓ અત્‍યંત ભાંગીને બિસ્‍માર હાલતમાં થઇ ગયા છે. ઉપરાંત આ રોડ ઉપર રવિવારે-બુધવારે સહેલાણીઓનો  ખૂબ જ ટ્રાફિક રહેતો હોય રસ્‍તાઓ ખરાબ હોવાને કારણે એકસીડન્‍ટનો ભય રહે છે. જેથી આ વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઇટો નાખવાની માગણી કરી હતી

(4:39 pm IST)