જેતપુરમાં તાવ આવતા અંકિતાબેન વ્યાસે રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ,તા. ૬: જેતપુરના બાળાવાળાપરામાં રહેતી સગર્ભા મહિલાને તાવ આવતા તેનુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ જેતપુરના બાળાવાળાપરા શેરી નં. ૪ રહેતા અંકિતાબેન ધીમંતભાઇ વ્યાસ (ઉવ.૨૯)ને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હોય તેથી તેને સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇ કાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક અંકીતાબેનના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને પાંચ માસનો ગર્ભ હતો. આ અંગે જેતપુર પોલીસે કાર્યવાહી કરી હતી.
શાપરમાં પરિણીતાએ ફીનાઇલ પી લીધુ
શાપર વેરાવળમાં મફતીયાપરામાં રહેતી ભાવના દેવદાસભાઇ સોલંકી (ઉવ.૨૧) ગઇ કાલે પોતાના ઘરે હતી ત્યારે મેકઅપ બોક્ષ બાબતે કોટુંબીક નણંદ સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે ફીનાઇલ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.