આવતીકાલે મા ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશ રાજકોટમાં : ગુરૂવારથી ઓશો ધ્યાન સાધના શિબિર
રાજકોટ, તા. ૬ : ઓશોના પ્રખર સન્યાસી એવા મા ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશજી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે, તેઓના સાનિધ્યમાં ૮મીના ગુરૂવારથી ઓશો ધ્યાન સાધના શિબિર યોજાયેલ છે. મા ધ્યાન આભા અને જગદીશજી સાધના કરાવશે.
ગુરૂવારથી ઓશો વાટીકા, બાલાજી વેફર્સ સામે, કાલાવડ રોડ ખાતે ચાર દિવસીય ઓશો ધ્યાન સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ શિબિરમાં માં ધ્યાન આભા તથા સ્વામી અંતર જગદીશજી ખાસ ઉપસ્થિત રહેશે અને સંચાલન કરશે. શિબિરનું તા.૮ના રોજ સાંજે ૬ વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે.
જયારે તા.૧૧ના રોજ બપોરે ૧:૩૦ કલાકે સમાપન થશે.
શિબિરની વધુ માહિતી માટે ૯૮૯૮૯ ૮૦૪૪૦ તથા ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
માં ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશજીના સાનિધ્યમાં યોજાયેલ ઓશો ધ્યાન સાધના શિબિરનો તા.૮ના સાંજે ૬ વાગ્યાથી પ્રારંભ થશે અને તા.૧૧ બપોરે ૧:૩૦ વાગ્યે પૂર્ણ થશે.