સ્વ. કૈલાશબેન રાજવીરના જન્મદિન નિમિતે કાલે રકતદાન કેમ્પ યોજાશે
સીવીલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા આયોજનઃ રકતદાતાઓને રકતદાન કરવા અનુરોધ
રાજકોટ : સીવીલ હોસ્પીટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કિડની કેન્સરના દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી અને અત્યારે કોરોનાની મહામારીમાં બ્લડની ખૂબ જ અછત રહેતી હોય, સ્વ. કૈલાશબેન વસંતભાઇ રાજવીરના જન્મ દિવસ નિમિતે, તેમના તથા શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે કાલે તા. ૬ ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ર વાગ્યા સુધી, કનકનગર, આરએમસી ગાર્ડન પાસે, મુરલીધર સ્કુલ સામે, સંત કબીર રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં સ્મિત રાજવીર (મો. ૯૯૦૯૭ ૩૦૧૯૮) તથા શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો. ૯૪ર૮ર ૦૦૬૬૦), વૈભવ વખારીયા, સતિષ સાગઠીયા, જીજ્ઞેશ શાહ તેમજ સિવિલ બ્લડ બેંકના એમ. ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. તો સર્વને બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા વિનંતી કરાઇ છે.