રાજકોટ
News of Saturday, 5th December 2020

ગુજસીટોકના ગુનામાં ભીસ્તીવાડના ૬ આરોપીના ૧૫ દિવસના રિમાન્ડ મંગાયા

રાજકોટ તા. ૪: સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના ભીસ્તીવાડમાં રહેતાં એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી સહિત ૧૧ સામે ગુજસીટોક હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ છ આરોપીઓને પકડી લેવાયા છે. ચાર જેલમાં છે અને સુત્રધાર એઝાઝ ફરાર છે. પકડાયેલા છએય શખ્સોને આજે ૧૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાંઆવ્યા છે.

પોલીસે એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી તથા મીરજાદ અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફ રાજન હમીદભાઇ ખીયાણી, જામનગર રોડ હુડકો કવાર્ટરના મજીદ ઉર્ફ પપ્પુ સુલેમાનભાઇ જુણાચ, ભીસ્તીવાડના ઇમરાન જાનમહમદ મેણુ, રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા અલ્લારખાભાઇ ઉર્ફ બાબુ જૂણેજા, માજીદ રફિકભાઇ ભાણુ અને મુસ્તુફા ઉર્ફ હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ (ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ ૩ (૧) (૧), ૩ (૧) (૨), ૩ (૨) તથા કલમ ૩ (૪) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી ખૂન, મહાવ્યથા-ખૂનની કોશિષ, ગેરકાયદે હથીયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલણે હુમલા સહિતના ગુનાઓ આચરી પ્રજાજનોમાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી નેટવર્ક ઉભુ કરી સતત ગુનાખોરી આચરતી હોવાનો આરોપ મુકાયો છે. ક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 ૧૧ શખ્સોની ટોળકીનો સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો છે, જે હાલ ફરાર છે. આ સિવાયના ૧૦ પૈકીના ૪ આરોપી રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો અને શાહરૂખ ઉફ રાજા અલગ-અલગ ગુનામાં જેલહવાલે છે. જ્યારે બાકીના ૬ આરોપી સરતાજ ઉર્ફ રાજન, માજીદ ઉર્ફ પપ્પુ, ઇમરાન મેણુ, મિરજાદ ખીયાણી,  મુસ્તુફા ખીયાણી અને માજીદ ભાણુની ધરપકડ કરી આજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, હરેશભાઇ કુકડીયા, સંજયભાઇ દવે, જનકભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:16 pm IST)