રાજકોટ
News of Tuesday, 5th November 2019

ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિનું ૧૭મીએ સ્નેહમીલન

વડિલ વંદના- વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ આગામી સમયમાં યોજાશેઃ ફોર્મ વિતરણ

રાજકોટ,તા.૫: શ્રી ઔદિચ્ય મહારાજશ્રીની ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા જ્ઞાતિનું સ્નેહમિલન તા.૧૭/૧૧ને રવિવારે મેઘાણી રંગ ભવન યોજાશે. આ ઉપરાંત વડિલોના વંદનાનો કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી પારિતોષિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી પારિતોષિક કાર્યક્રમ ટુંક સમયમાં યોજવાનું નકકી કરેલ છે. વડિલ વંદનાના ફોર્મ તા.૧૭ના રોજ મળશે.

શ્રી ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા તા.૧૭ને રવિવારે નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ અને સમુહ ભોજન સમારંભ અને સમુહ ભોજન સમારંભ યોજાશે. જેના વ્યવસ્થાના ભાગરૂપે પાસની ફી રૂ.૫૦ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ મહેતા, ઈન્દ્રવદન રાજગુરૂ, દિપક પંડ્યા, સુધીરભાઈ પંડયા, ઉદયભાઈ પંડયા, હર્ષદ રાવલ, અમીત રાજયગુરૂ, રાકેશ રાજયગુરૂ, વિરેન વ્યાસ, જીતુભાઈ રાજયગુરૂ, સંજય જોશી, મયુર રાજયગુરૂ, દિપકભાઈ રાજયગુરૂ, પાર્થ રાજયગુરૂ, જતીન પંડયા, મયુરભાઈ પંડ્યા, નીતીન ઠાકર, શૈલેષ જાની, રાજેશ જોશી, દીપેશ રાજયગુરૂ, પ્રજ્ઞેશ રાજયગુરૂ, ગીરીશભાઈ જોશી ઘેલારામજી જ્ઞાતિના જ્ઞાતિજનો જહેમત ઉઠાવેલ છે.

વડીલ વંદના કાર્યક્રમના ફોર્મ મેળવવા માટે (૧) શ્રી દિપકભાઈ રાજયગુરૂ વેસ્ટર્ન સ્પોર્ટ, ગોંડલ રોડ, જુના સંજયરાજ પેટ્રોલ પંપ સામે, રાજકોટ સમયઃ ૬ થી ૮ કલાકે (સાંજે), (૨) શ્રી દિલીપભાઈ મહેતા (એડવોકેટ) ૩૧૫/૩૧૯, રાષ્ટ્રદિપ કોમ્પ્લેક્ષ, રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ સમયઃ ૭ થી ૮ કલાકે (સાંજે), (૩) શ્રી દિપકભાઈ પંડ્યા ૬/ રાજપુતપરા, સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, રાજકોટ સમયઃ ૭ થી ૮ કલાકે (સાંજે) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)