રાજકોટ
News of Tuesday, 5th November 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા જલારામ શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટઃ પૂ.સંત જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિએ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા નિકળેલ શોભાયાત્રાનું દાઉદી વ્હોરા સમાજ દ્વારા ફુલહાર કરી ઉમળકા ભર્યુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહરકાર્ડસ વાળા, શાકીરભાઈ સાદીકોટ, અસગરભાઈ વંથલીવાળા, શબ્બીરભાઈ કાચવાલા, હુશેનભાઈ બાટલાવાલા, હુશેનભાઈ કાચવાલા ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)