News of Wednesday, 5th October 2022
મંછાનગરમાં સોનલબેન રામાવતે મધરાતે ફિનાઇલ ગટગટાવ્યું
માસીજી ઝઘડો કરી મેણા મારતા હોવાનો આક્ષેપ
રાજકોટ તા. ૫: માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં સોનલબેન દિપકભાઇ રામાવત (ઉ.૩૦) નામની મહિલાએ રાતે અઢી વાગ્યે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
સોનલબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ રિક્ષાચાલક છે. તેણીએ જણાવ્યું હતું કે મારા ભાઇ શુભમની સગાઇ મારી માસીજીની દિકરી સાથે થઇ હતી. આ બંને શ્રાવણ માસમાં લગ્ન પહેલા જ ભાગી ગયા હતાં. એ પછી પાછા આવી ગયા હતાં. પણ ત્યારથી મારા માસીજી સતત મેણા મારી હેરાન કરતાં હોઇ તે કારણે પોતે ફિનાઇલ પી લીધું હતું. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:26 pm IST)