રાજકોટ
News of Sunday, 5th July 2020

કોઠારીયા પર રણુજા મંદિર નજીક ખોખરદડ નદીમાં પુરમાં બોલેરો તણાય : બોલેરોમાં ૩ લોકો સવાર હતા : બે નો બચાવ એક ની શોધખોળ ચાલુ છે : ઘટના સ્થળે ફાયરબ્રિગેડ દોડી ગયુ છે

રાજકોટ : રાજકોટ શહેરમાં આજે સવારે થયેલા ભારે વરસાદને લઇને રાજકોટની પાદરમાં કોઠારીયા રોડ પર આવેલ રણુજામંદિર પાસેની ખોખરદડ નદીમાં એક બોલેરો કાર તણાયાનો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગત મુજબ બોલેરો કારમાં ત્રણ લોકો હતા તેમાંથી બેનો બચાવ થયો છે એક વ્યકિતની શોધખોળ ચાલુ છે ઘટના સ્થળે ફાયર બ્રિગેડ જવાનો પહોંચી ગયા છે.

(2:23 pm IST)