News of Friday, 5th July 2019
આવાસ યોજનાના ફોર્મ આપવાના નથી : રૂડાની સ્પષ્ટતા
રાજકોટ, તા. ૫ : હાલ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂડા દ્વારા સંચાલિત આવાસ અંગે તા.૧૦ જુલાઈથી ફોર્મ વિતરણ અંગે માહિતી બહાર પ્રસારિત થયેલ છે. જે અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે હાલ આવી કોઈ સંબંધિત કામગીરી રૂડા દ્વારા હાથ ધરવામાં આવેલ નથી. આ માટેનો કાર્યક્રમ જાહેર થયેથી વિગતવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના વહીવટી અધિકારીશ્રી (આવાસ)ની યાદીમાં જણાવાયુ છે.
(4:04 pm IST)